Thursday, September 17, 2020

હર્ષવર્ધન, પુલકેશી બીજો વગેરે વિશે જાણવા લાયક જનરલ નોલેજ અને ક્વીઝ

  નમસ્કાર મિત્રો જનરલ નોલેજના આ આર્ટીકલમાં આપનું સ્વાગત છે. રોજે રોજ આપના માટે જનરલ નોલેજના આર્ટીકલ મુકવામાં આવશે. જે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી હશે.

general Knowledge in Gujarati, gk in gujarati 

હર્ષવર્ધન, પુલકેશી બીજો વગેરે વિશે જાણવા લાયક જનરલ નોલેજ અને ક્વીઝ 

() હર્ષવર્ધનના પિતાનું નામ જણાવો.

    પ્રભાકરવર્ધન

 

() હર્ષવર્ધનના મોટા ભાઈનું નામ જણાવો.

   રાજ્યવર્ધન

 

() રાજ્યવર્ધનનું મૃત્યુ કોના દગાને કારણે થયું હતું?

   ગૌડ રાજવી શશાંક

 

() હર્ષવર્ધનની બહેનનું નામ જણાવો.

    રાજ્યશ્રી

 

() હર્ષવર્ધનની બહેનને કોને કેદ કરી હતી?

   માળવાના રાજા દેવગુપ્ત

 

() હર્ષવર્ધને રાજ્યશ્રીને મુક્ત કરાવવા કોની મદદ લીધી હતી?

   વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુ દિવાકર

 

() બહેનનું કયું રાજ્ય હર્ષવર્ધને સ્વહસ્તક લીધું હતું?

    કનોજ

 

() હર્ષવર્ધને મળવાનાં કયા રાજાને હાર આપી?

    રાજા દેવગુપ્ત

 

() કામરૂપના રાજાનું નામ જણાવો.

    ભાસ્કરવર્મન 

 

(૧૦) હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલાં ભાગમાં વહેચી હતી?

    ત્રણ

 

(૧૧) હર્ષવર્ધન દિનચર્યાના પ્રથમ ભાગ શેનું કાર્ય કરતો?

    વહીવટ

 

(૧૨) હર્ષવર્ધન દિનચર્યાના બીજા ભાગમાં શેનું કાર્ય કરતો?

     પ્રજા કલ્યાણ

 

(૧૩) હર્ષવર્ધન દિનચર્યાના ત્રીજા ભાગમાં શેનું કાર્ય કરતો?

     ધાર્મિક કાર્યો

 

(૧૪) હર્ષવર્ધન પોતાનાં વહીવટમાં કઈ બાબતમાં ખુબ જ નિયમિત હતાં?

    ન્યાયી અને ફરજ પાલન

 

(૧૫) હર્ષવર્ધને પોતાનાં રાજ્યમાં કેવાં બાંધકામ કરાવ્યાં હતાં?

     વિશ્રાંત ગૃહો, વાવ, તળાવ, કુવા, મઠો અને વિહારો

 

(૧૬) હર્ષવર્ધન દર પાંચ વર્ષે કઈ જગ્યાએ ધર્મ પરિષદનું આયોજન કરતો?

    પ્રયાગ

 

(૧૭) હર્ષવર્ધન ધર્મ પરિષદ વેળાએ કઈ રીતે દાન કરતો?

    પોતાનો ભંડાર અને શરીર પરના આભૂષણો ખાલી થઇ જાય ત્યાં સુધી

 

(૧૮) હર્ષવર્ધનના દરબારમાં શોભા વધારનાર સાહિત્યકાર કોણ હતાં?

     મહાકવિ બાણભટ્ટ

 

(૧૯) બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓના નામ જણાવો.

    હર્ષચરિત અને કાદંબરી

 

(૨૦) હર્ષવર્ધને કયા ત્રણ નાટકો રચ્યા હતાં?

    નાગાનંદ,રત્નાવલી અને પ્રિયદર્શીકા

 

(૨૧) હર્ષવર્ધનના રાજ્યમાં કઈ વિદ્યાપીઠ હતી?

    નાલંદા

 

(૨૨) નાલંદા વિદ્યાપીઠના આચાર્યનું નામ જણાવો.

    આચાર્ય શીલભદ્ર

 

 

 

(૨૩) નાલંદા વિદ્યાપીઠમાં કયા રસાયણશાસ્ત્રી થઇ ગયા?

    રસાયણશાસ્ત્રી નાગાર્જુન

 

(૨૪) નાગાર્જુને શેનો ઔષધી તરીકે ઉપયોગ સૂચવ્યો હતો?

    લોહ,સોમલ અને પારો

 

(૨૫) કનોજ રાજ્યમાં મનોરંજન માટે કઈ રમતો પ્રચલિત હતી?

    શતરંજ અને સોગઠાબાજી

 

(૨૬) કનોજના રાજ્યમાં ગામડાઓમાં મનોરંજન માટે કોણ આવતું?

     નટ અને મદારી

 

(૨૭) કનોજના રાજ્યમાં મુખ્ય વ્યવસાય કયો હતો?

     કૃષિ અને પશુપાલન

 

(૨૮) કનોજના રાજ્યમાં ખેડૂતો કેટલું જમીન મહેસુલ ભરતા હતાં?

     :૬ ઉપજનો છઠો ભાગ

 

(૨૯) કનોજના રાજ્યમાં વ્યાપાર માટેની હેરફેરનો સળંગ માર્ગ જણાવો.

    પાટલીપુત્રથી ભૃગુકચ્છ બંદર

 

(૩૦) કનોજના રાજ્યમાં કઈ બાબતોની નિકાસ કરવામાં આવતી?

    અલંકારો,મૂર્તિઓ,હાથીદાંત અને ઇમારતી લાકડાનું રાચરચીલું

 

(૩૧) કનોજના રાજ્યમાં કયા કયા  ધર્મ પાળતી પ્રજા વસવાટ કરતી હતી?

    હિંદુ, બૌદ્ધ અને જૈન

 

(૩૨) હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફર ભારત આવેલો?

    હ્યું એન ત્સાંગ

 

(૩૩) હ્યું એન ત્સાંગ બૌદ્ધ ધર્મનો અભ્યાસ ક્યાં રહીને કર્યો હતો?

     ૫ વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં

 

 

 

(૩૪) હ્યું એન ત્સાંગના માટે ક્નોજમાં કેટલાં બૌદ્ધ મઠો હતાં?

    ૧૦૦ બૌદ્ધ મઠો

 

(૩૫) દક્ષિણ ભારતમાં કયા વંશનું શાસન હતું?

    ચાલુક્ય (સોલંકી)

 

(૩૬) દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની રાજધાની જણાવો.

    વાતાપી

 

(૩૭) વાતાપી નગરમાં કયા બળવાન રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો?

     પુલકેશી પહેલો

 

(૩૮) પુલકેશી પહેલાનાં ધ્વજમાં શેનું ચિહન રહેતું?

     વરાહાવતાર

 

(૩૯) પુલકેશી પહેલાં પછી કોણે ગાદી સંભાળી?

      એમનો પુત્ર કીર્તિવર્મા

 

(૪૦) વાતાપીમાં નમુનેદાર વિષ્ણુમંદિર કોણે બંધાવ્યું હતું?

      મંગલેશ રાજા

 

(૪૧) વાતાપી નગરમાં મંગલેશ રાજા પછી કોણે ગાદી સંભાળી?

     સત્યાશ્રાય પુલકેશી બીજો

 

(૪૨) ચાલુક્ય વંશમાં પુલકેશી બીજાએ કેટલાં વર્ષ રાજ્ય કર્યું હતું?

     ૩૦ વર્ષ

 

(૪૩) રાજા હર્ષવર્ધન અને પુલકેશી બીજો કઈ જગ્યાએ યુદ્ધમાં ભેગા થયાં?યુદ્ધનું પરિણામ શું આવ્યું?

    નર્મદા પાસે પુલકેશી બીજો વિજયી

 

(૪૪) પુલકેશી બીજો શેનો શોખીન હતો?

    કળાનો

 

(૪૫) પુલકેશી બીજાના સમયમાં કયા ધર્મનો પ્રભાવ વધ્યો હતો?

     જૈન ધર્મની એક શાખા દિગંબર

 

(૪૬) પુલકેશી બીજાનું મૃત્યુ ક્યારે અને કોની સાથે યુદ્ધમાં લડતાં થયું હતું?

     ..૬૪૨મા કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથેના યુદ્ધમાં

 

(૪૭) પ્રાચીન હિંદના ઇતિહાસમાં છેલ્લા હિંદ સમ્રાટ કોણ હતાં?

     હર્ષવર્ધન

 


No comments:

Post a Comment