Thursday, September 17, 2020

રાજપૂત યુગનું શાસન, કળા. સાહિત્ય અને સ્થાપત્યો વિશે જાણવા જેવું તથા જનરલ નોલેજ

 નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ આપવામાં આવ્યું છે. 

રાજપૂત યુગનું શાસન, કળા. સાહિત્ય અને સ્થાપત્યો વિશે જાણવા જેવું તથા જનરલ નોલેજ 

() કઈ સદી પછી રાજપૂત વંશનું શાસન હતું?

      સાતમી સદી પછી

() રાજપૂત કાળમાં રાજાનું પદ કઈ રીતે પ્રાપ્ત થતું?

    રાજનું પદ વંશ પરંપરાગત પ્રાપ્ત થતું.


()રાજપૂત કાળમાં ગ્રામનું શાસન કઈ રીતે ચાલતું?

     પંચાયતને આધીન

() રાજપૂત કાળમાં ગ્રામના વડાને શું કહેતા?

    મુખી અથવા સરપંચ

() રાજપૂત કાળમાં રાજ્યની આવકનું મુખ્ય સાધન જણાવો.

    જમીન મહેસુલ

() રાજપૂત કાળમાં જમીન મહેસુલ કઈ રીતે વસુલવામાં આવતો?

    જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ

() રાજપૂત કાળમાં સાહિત્ય કઈ ભાષાઓમાં લખાયું હતું?

      સંસ્કૃત,પ્રાકૃત,તમિલ,કન્નડ,તેલુગુ


() શિશુપાલવધ નામનું મહાકાવ્ય કોણે લખ્યું હતું?

    મહાન કવિ માઘે

() નૈષધચરિત નામનું મહાકાવ્ય કોણે લખ્યું હતું?

     કવિ શ્રી હર્ષે

(૧૦) નૈષધચરિત નામના મહાકાવ્યમાં કોની કથા આલેખવામાં આવી છે?

     નળ અને દમયંતીની કથા

(૧૧) કુમારપાળ ચરિત્ર કોને લખ્યું છે?કોના વિશે લખાયું છે?

     હેમચંદ્રાચાર્યએ ગુજરાતના સોલંકી રાજા કુમારપાળ વિશે

(૧૨) હેમચન્દ્રાચાર્યએ કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો?

     સિદ્ધહેમશબ્દાનુંશાસન

(૧૩) ઉત્તરરામચરિત નાટક કોને લખ્યું હતું?

     ભવભૂતિ

(૧૪) હિતોપદેશ નામના વાર્તાસંગ્રહની રચના કોણે કરી હતી?

     નારાયણ નામના પંડિતે

(૧૫) મુદ્રારાક્ષસ કૃતિના રચિયતા કોણ હતાં?

     વિશાખાદત્ત

(૧૬) રાજતરંગીણી કૃતિના રચિયતા કોણ હતાં?

      કવિ કલહણ

(૧૭) વિક્રમાકદેવ ચરિત્ર  કૃતિના રચિયતા કોણ હતાં?

     કવિ બિલ્હણ

(૧૮) કથાસરિતસાગર કૃતિના રચિયતા કોણ હતાં?

      કવિ સોમદેવ

(૧૯) પૃથ્વી રાજ રાસો કૃતિના રચિયતા કોણ હતાં?

      કવિ ચંદબરદાઈ

(૨૦) પ્રબોધચિંતામણી કૃતિના રચિયતા કોણ હતાં?

      કવિ મેરુતુંગ

(૨૧) ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે?

     મધ્ય પ્રદેશમા

(૨૨) જગન્નાથપુરીનું મંદિર ક્યાં આવેલું છે?

      ભુવનેશ્વર

(૨૩) ભારતમાં આવેલાં સુર્યમંદિરના નામ જણાવો.

     મોઢેરાનું સુર્ય મંદિર અને કોર્ણાકનું સુર્યમંદિર 

(૨૪) મોઢેરાના સૂર્યમંદિરની વિશેષતા જણાવો.

      સૂર્યનું પહેલું કિરણ મંદિરમાં રહેલી પ્રતિમા ઉપર પડતું

(૨૫) કોર્ણાકના સૂર્યમંદિરનું સ્વરૂપ કેવું છે?

       એક રથનો ઘાટ આપી તેને સાત ઘોડા ખેંચતા હોય એવું સ્વરૂપ

(૨૬) દક્ષિણ ભારતમાં ક્યા ધર્મની ગુફાઓ છે?

      ઈલોરમાં હિંદુ,બૌદ્ધ અને જૈન

(૨૭) મુંબઈ નજીક કઈ ગુફા આવેલી છે?તેનું કયું શિલ્પ પ્રસિદ્ધ છે?

      એલિફન્ટાની ગુફાઓ ત્રણ મુખવાળા શિવનું શિલ્પ

 

(૨૮) મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

      મદુરાઈ

(૨૯) દક્ષિણ ભારતનાં મંદિરોની વિશેષતા જણાવો.

     ગોપુરમ તરીકે ઓળખાતા ઉંચા ભવ્ય પ્રવેશદ્વાર માટે ખાસ જાણીતા છે.

(૩૦) મહમંદ ગઝની ક્યાંનો સુલતાન હતો?

     ગઝના પ્રાંતનો

(૩૧) મહમંદ ગઝનીએ ગુજરાતનું  કયું મંદિર લૂટ્યું હતું?

     સોમનાથ

(૩૨) મહમંદ ગઝનીએ કોના સમયમાં સોમનાથ મંદિર લૂટ્યું હતું?

     ભીમદેવ સોલંકી

(૩૩) શાહબુદ્દીન ઘોરીનો કોની સામે પરાજય થયો હતો?

     અણહિલવાડ પાટણની મહારાણી નાયિકાદેવી સામે  

(૩૪) શાહબુદ્દીન ઘોરીએ ક્યાં રાજપૂત શાસકને હરાવ્યો?

     પૃથ્વીરાજ ચૌહાણ

(૩૫) ઘોરી પછી દિલ્હીના તખ્તા પર કયો ગુલામ સરદાર આવ્યો?

    કુતુબુદ્દીન ઐબક

(૩૬) ગુલામ વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે?

     ગુલામ સરદાર કુતુબુદ્દીન ઐબક

No comments:

Post a Comment